મહાનુભાવોના ઉપનામ જાણીએ..

0
Jidiya Sanjay , Create a Blog

મહાનુભાવોના ઉપનામ જાણીએ.. 

  1. ગાંધીજી-રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત 
  2. સરદાર વલ્લભભાઈ પટેલ-સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક 
  3. મોહંમદ બેગડો-  ગુજરાતનો અકબર
  4. ડૉ. ચંદુલાલ દેસાઈ -  છોટે સરદાર 
  5. જમશેદજી તાતા-ભારતીય ઉદ્યોગ ના પિતામહ 
  6. વર્ગીસ કુરિયન- શ્વેતક્રાંતિના જનક 
  7. ડૉ. હોમી ભાભા - અણુશક્તિના પિતામહ 
  8. જામ રણજીતસિંહજી - ક્રિકેટનો જાદુગર
  9. પુષ્પાબહેન મહેતા - મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી
  10. ગણેશ વાસુદેવ માવળંકર - ભારતની સંસદ ના પિતા 
  11. કુમારપાળ - ગુજરાતનો અશોક
  12. ગિજુભાઈ બધેકા - બાળકોની મુછાળી મા
  13. શ્રીમદ રાજચંદ્ર -સાક્ષાત સરસ્વતી 
  14. નરસિંહ મહેતા -આદિ કવિ 
  15. મીરાબાઈ-  દાસી જનમ જનમની
  16. અખો -જ્ઞાન નો વડલો 
  17. નર્મદ -નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક 
  18. ઝવેરચંદ મેઘાણી -રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક 
  19. પ્રેમાનંદ -મહાકવિ 
  20. ઉમાશંકર જોશી -વિશ્વશાંતિનો કવિ
  21. પન્નાલાલ પટેલ -સાહિત્યજગતનો ચમત્કાર 
  22. ન્હાનાલાલ -કવિવર  ‎
  23. કલાપી -સૂરતાની વાડીનો મીઠો મોરલો 
  24. ગોવર્ધનરામ ત્રિપાઠી -પંડિતયુગના પુરોધા 
  25. આનંદશંકર ધ્રુવ -પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ 
  26. ચુનીલાલ આશારામ ભગત- પૂજ્ય મોટા 
  27. રવિશંકર રાવળ - કલાગુરુ 
  28. રવિશંકર મહારાજ - કળિયુગના રૂષી, મૂકસેવક 
  29. નરસિંહરાવ દિવેટિયા -સાહિત્ય દિવાકર 
  30. મોહનલાલ પંડ્યા -ડુંગળીચોર 
  31. ઈન્દુલાલ યાજ્ઞિક -અમીર શહેરના ગરીબ ફકીર 
  32. મોતીભાઈ અમીન -ચરોતરનું મોતી‎ 
  33. રણજિતરામ વાવાભાઇ મહેતા -ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક ‎ 
  34. હેમચંદ્રાચાર્ય -કલિકાલ સર્વજ્ઞ 
  35. અખંડાનંદ -જ્ઞાનની પરબ  ‎
  36. કસ્તુરભાઈ લાલભાઈ -શીલભદ્ર ,શ્રેષ્ઠી
  37. પંડિત સુખલાલજી -પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત 
  38. ફર્દુનજી મર્જબાન -ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ 
  39. એલેકઝાન્ડર ફાર્બસ -લોકાભિમુખ રાજપુરુષ 
  40. જમશેદજી જીજીભાઈ -હિન્દના હાતિમતાઈ

Post a Comment

0Comments

નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.

Post a Comment (0)