રણછોડભાઈ ઉદયરામ દવે
જન્મતારીખ :- ૯-૮-૧૮૩૭
અવસાન :- ૯-૪-૧૯૨૩
જન્મસ્થળ - મહુધા (જિ. ખેડા)
અભ્યાસ - કાયદાશાસ્ત્ર
પ્રવૃત્તિ - રજવાડામાં મુત્સદ્દી વ્યવસાય, કચ્છમાં દીવાનગીરી
વિશેષ નોંધ :-
(૧) બ્રિટિશ સરકાર તરફથી ‘દીવાનબહાદુર'નો ખિતાબ
(૨) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ : ૧૯૧૨
કૃતિઓ
નાટક :- જયકુમારીવિજય (૧૮૬૪); લલિતાદુઃખદર્શક (૧૮૬૬); પ્રેમરાય અને ચારમતી (૧૮૭૬); બાણાસુરમદમર્દન (૧૮૭૮); મદાલસા અને ઋતુધ્વજ (૧૮૭૮); નળદમયંતી (૧૮૯૩); હરિશ્ચંદ્ર નાટક; તારામતી સ્વયંવર; નિંદ્ય શૃંગાર નિષેધક રૂપક (૧૯૨૦); વૈરનો વાંસે વશ્યો વારસો (૧૯૨૨); વંઠેલ વિરહાનાં કૂડાં કૃત્ય (૧૯૨૩)
કાવ્યશાસ્ત્ર :- નાટ્યપ્રકાશ (૧૮૯૦); રસપ્રકાશ, અલંકારપ્રકાશ; શ્રાવ્યકાવ્ય; રણપિંગળ ૧,૨,૩, (૧૯૦૨, ૧૯૦૫, ૧૯૦૭); ફારસી કવિતારચના અને રુબાઈ; ડિંગલ અથવા મારવાડી ગીતરચના
અનુવાદ :- હિતોપદેશ; નાટ્યકથારસ (૧૯૨૨, ૨૩); લેમ્બ્સ ટેઈલ્સ ફ્રૉમ શેક્સપિયર, (અન્ય સાથે); શેક્સપિયર કથા સમાજ (૧૮૭૮); રાસમાળા ૧-૨ (૧૮૭૦-૧૮૯૨); માલવિકાગ્નિમિત્ર (૧૮૭૦); રત્નાવલી (૧૮૮૯); વિક્રમોર્વશીય ત્રોટક (૧૮૬૮); લઘુસિદ્ધાંતકૌમુદી (૧૮૭૮)
ઈતિહાસ :- કચ્છદેશનો ઇતિહાસ
પ્રકીર્ણ :- પ્રાસ્તાવિક કથાસંગ્રહ (૧૮૬૬); સંતોષસુરતર (૧૮૬૬); કુળ વિશે નિબંધ (૧૮૬૬); પાદશાહી રાજનીતિ (૧૮૯૦)
તંત્રીઃ- બુદ્ધિપ્રકાશ
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.