રમણભાઈ મહીપતરામ નીલકંઠ
જન્મતારીખ :- ૧૩-૩-૧૮૬૮
અવસાન :- ૬-૩-૧૯૨૮
જન્મસ્થળ :- અમદાવાદ
અભ્યાસ :- બી. એ.; એલએલ.બી.
પ્રવૃત્તિ :- ધારાશાસ્ત્રી
વિશેષ નોંધ :-
(૧) ખિતાબ ‘સર’, અંગ્રેજ સરકાર દ્વારા
(૨) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ : ૧૯૨૬
કૃતિઓ
વિવેચન :- કવિતા અને સાહિત્ય ભાગ ૧-૪ :
ભાગ : ૧- કાવ્યચર્ચા (૧૯૦૪)
ભાગ : ૨ - સમાલોચના (૧૯૦૪)
ભાગ : ૩ - ગુજરાતી ભાષાનું બંધારણ અને ઇતિહાસ (૧૯૨૮) ભાગ : ૪ - પ્રકીર્ણ વિષયો, જેમાં કેટલાંક કાવ્યો પણ છે (૧૯૨૯)
ચિંતન :- ધર્મ અને સમાજ: ૧-૨ (૧૯૩૨, ૧૯૩૫)
નાટક :- રાઈનો પર્વત (૧૯૧૪)
નવલકથા :- ભદ્રંભદ્ર (૧૯૦૦); શોધમાં (૧૯૧૫, અપૂર્ણ - બિપિન ઝવેરીએ પૂરી કરી)
હળવા નિબંધો, સંવાદ આદિ :- હાસ્યમંદિર (૧૯૧૫, વિદ્યાગૌરીના સહયોગમાં)
તંત્રી :- ‘જ્ઞાનસુધા' (૧૮૮૭-૧૯૧૮)
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.