રવિસાહેબ (રવિદાસ/રવિરામ)
જીવનકાળ :- ઇ. ૧૭૨૭-૧૮૦૪
પિતા :- મંછારામ
વતન:- ગામ તણછા (તા. આમોદ, જિ. ભરુચ)
જ્ઞાતિ :-વીશા શ્રીમાળી વણિક
વિશેષ નોંધ :-
(૧) ભાણસાહેબના શિષ્ય, નાદપુત્ર'; રવિભાણસંપ્રદાયના પ્રસારક
(૨) નિર્ગુણ ભક્તિના કવિ
કૃતિઓ
ભાણગીતા; રવિગીતા, મનઃસંયમ, તત્ત્વસારનિરૂપણ; બારમાસી (૧૦૭ કડીની); બારમાસી (૧૦૯ કડીની); બોધચિંતામણિ ; સિદ્ધાંત કક્કો; કવિત છપ્પય (હિન્દી રચનાઓ); આત્મલક્ષી ચિંતામણિ; ગુરુમહિમા; ભાણપરિચર; સાખીઓ; રામગુંજાર-ચિંતામણિ; સપ્તભોમિકા
કેટલીક સ્મરણીય વાણી
કોટિક ભાણ ઉગિયા દિલ ભીતરભૌમ સઘળી ભાળી; સૂનમંડળમાં મારો શ્યામ બિરાજે ત્રિકોટીમાં લાગી મુંને તાળી. ધરણી નહીં, અલખ પુરુષ આખાશ નહીં, નહીં દિવસ રાતી; પરકાશિયા, નહીં દીવો કે બાતી.
ખટશાસ્ત્ર ઓર પુરાણ અઢારા, ભાગવત ગીતા ગાઈ; કહે અદ્વૈતા કર્મ કરે નચિંતા, સૌ નર નરકે જાઈ. કાજી કુરાન કિતાબ બખાને, નીવાજ પંચ વખત જાઈ; સાંજ પડે તબ છુરી ચલાવે, ગુરુગમ બીન હે ઘુમરાઈ. કાયા કમાયા બીને કથની કથત હૈ, મૂરખ મનમાં મરડાઈ; કહે રવિદાસ સતનામ ચીન્યા બીના, અંધા આડા અફળાઈ. પિંડ ખોજ્યા વિના પાર ન આવે.
આ કોણે બનાયો ચરખો ? તમે નુરતે સુરતે નીરખો ! એના ઘડનારાને પરખો ! કોઈ પરિબ્રહ્મને પરખો ! આ કોણે બનાયો ચરખો !
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.